નદીમાં ધસમસતું પાણી આવ્યું અને બ્રિજ તણાઈ ગયો, આ જ છે સરકારની કામગીરી

ખેડાની વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધતા નિર્માણાધિન બ્રિજના લોખંડના ટેકા તણાયા

by Dhwani Modi
Kheda bridge was submerged in water, News Inside

News Inside/ 12 July 2023

..

Kheda, Gujarat| ખેડા જિલ્લામાં વાત્રક નદી પર નિર્માણ પામી રહેલા બ્રિજ નીચે ટેકા મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ ટેકા વાત્રક નદીના ધસમસતા પાણીમાં તણાઈ ગયા છે. અચાનક પાણીનો પ્રવાહ આવતા બ્રિજના જે ટેકા મૂકવામાં આવ્યા હતા તે નદીમાં પડ્યા હતા. હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બ્રિજ બની રહ્યો હતો તેના ટેકા તૂટી પડ્યા બાદ કેટલાક મહત્વના પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે, આ બ્રિજ દેદરડાથી વાસણા ખુર્દ ગામની વચ્ચે નિર્માણ પામી રહ્યો છે, બ્રિજના ટેકા તૂટી પડવાની ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

 અમારા સંવાદાતા ઉમંગ પટેલે આ બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટના સામે આવતા સ્થાનિકો સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે અચાનક નદીમાં ધસમસતું પાણી આવ્યું અને તેના કારણે ટેકા તૂટી પડ્યા હતા. હવે નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં પડી ગયા બાદ પુલની ગુણવત્તા ચકાસવા માટે લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે નુકસાન કેટલું થયું છે તે અંગે માહિતી મળશે. જે ઘટના બની છે તેના કારણે સ્થાનિક પણ ચિંતામાં મૂકાયા છે.

આ બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે અચાનક નદીમાં ધસમસતું પાણી આવ્યું અને તેના કારણે ટેકા તૂટી પડ્યા હતા. હવે નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં પડી ગયા બાદ પુલની ગુણવત્તા ચકાસવા માટે લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે નુકસાન કેટલું થયું છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે. જે ઘટના બની છે તેના કારણે સ્થાનિક લોકો પણ ચિંતામાં મૂકાયા છે.

જોકે, જ્યારે બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે ખરેખર માલુમ પડશે કે સ્ટ્રક્ચર તૂટી પડવાથી બ્રિજને નુકસાન થયું છે કે નહીં અને થયું હોય તો કેટલું થયું છે! સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે રાજ્યના નદી સહિતના જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે.

 જોકે, જ્યારે બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે માલુમ પડશે કે સ્ટ્રક્ચર તૂટી પડવાથી બ્રિજને નુકસાન થયું છે કે નહીં અને થયું હોય તો તે કેટલું થયું છે! સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે રાજ્યના નદી સહિતના જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે.

વાત્રક નદીમાં ધસમસતું પાણી આવવા લાગ્યું ત્યારે કેટલાક લોકો તે જોવા માટે નદી કિનારે પહોંચ્યા હતા, ત્યારે અચાનક નિર્માણાધિન બ્રિજની નીચે જે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા હતા તે પાણીમાં નમી પડ્યા હતા અને પછી પાણીનો પ્રવાહ વધતા આ ટેકા અચાનક નદીમાં તૂટી પડ્યા હતા.

અગાઉ રાજ્યમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી, તે પછી પુલને લગતી ખબર આવે ત્યારે લોકો વધારે સતર્ક થઈ જતા હોય છે. જોકે, આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા જરુરી તપાસના આદેશ આપવામાં આવશે અને મહત્વની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જેથી બ્રિજને નુકસાન ન થાય.

Related Posts