વડોદરામાં પાણીપુરીની લારી અને દુકાન પર VMCની લાલ આંખ, 10 દિવસ વેચાણ પર પ્રતિબંધ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

by Dhwani Modi
Panipuri banned by VMC, News Inside

News Inside/ 18 July 2023

..

Ban on panipuri| હાલમાં ચોમાસાની ઋતુ પૂર જોશમાં ચાલી રહી છે. જેને કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર 10 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના અપાઈ છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા આ વેચાણ બંધ કરાવવામાં આવશે. અહીંયા નોંધનીય છે કે, સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઇ રહ્યું હતું ત્યાં VMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અગાઉ 2018માં પણ VMC દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પાણી-પુરીની લારી અને દુકાનો પર પ્રતિબંધ લાગી શકે છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા અનુસાર, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતુ નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણી પીવાને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ મુજબ, ભારતમાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે. દેશના નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.

પાણીજન્ય રોગોનું નિવારણ કરવા માટે ઉપયોગી સૂચનો
– પાણી સ્વચ્છ દેખાય તથા કોઈ પણ રેતી અને કચરાથી મુક્ત હોય તેની ખાતરી કરો. તમને દેખાતી કોઈ પણ પ્રકારની ગંદકી પાણીમાં દૂર      કરવા તેને ગાળી શકો છો.
– સ્વચ્છ અને સુરક્ષિત પાણી જ પીવો. સ્વચ્છ પીવાલાયક પાણીનું સેવન કરો અથવા એવા પાણીનો ઉપયોગ કરો, જેની ટ્રીટમેન્ટ વોટર પ્યોરિફાયર્સ સાથે થઈ હોય. અનટ્રીટેડ વોટરનો ઉપયોગ ન કરો.
– સંગ્રહ કરેલા પાણીનો પાછળથી ઉપયોગ કરવા તે પાણી જીવાણુઓથી મુક્ત અને સ્વચ્છ હોય તેની ખાતરી કરો.
– જો નહાવાનું પાણી ચોખ્ખું ન હોય, તો નુકસાનકારક બેક્ટેરિયામાંથી છૂટકારો મેળવવા એન્ટિસેપ્ટિક લિક્વિડ ઉમેરો
– ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી, ભોજન બનાવતાં અગાઉ અને બની ગયા પછી, ભોજન લેતાં અગાઉ અથવા કઈ પણ વસ્તુ ખાતા-પીતા પહેલા સાબુ વડે હાથને બરાબર રીતે ધોઈને હાથની સ્વચ્છતા જાળવવાની ટેવ પાડો.
– જ્યારે બાળકો રમીને ઘરમાં પ્રવેશ કરે, ત્યારે હંમેશા હાથ ધોવાની ટેવ પાડો અને દરેક વ્યક્તિએ ઘરમાં પ્રવેશીને સૌપ્રથમ હાથ ધોવા જોઈએ.
– ખાતરી કરો કે, ખાદ્ય પદાર્થો ધોયેલા હોય તથા નુકસાનકારક બેક્ટેરિયા અને અન્ય નુકસાનકારક જીવાણુઓથી મુક્ત હોય તથા બરાબર રાંધેલા હોય
– થાઇરોઇડ, હિપેટાઇટિસ એ, પોલિયો વગેરે જેવા રસીથી નિવારી શકાય એવા રોગોથી તમારી જાતને સુરક્ષિત રાખવા રસી મૂકાવો
– જ્યારે બહારની વસ્તુ ખાતી વખતે શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ કરો
– લાંબા કલાકો પછી ખુલ્લા અને અગાઉથી રાંધેલા ભોજનને ફરી ખાવાનું ટાળો
– ફિલ્ટર, આરઓ યુનિટ વગેરે જેવા તમારાં વોટર ટ્રીટમેન્ટ ઉપકરણોની નિયમિત સર્વિસ અને મેઇન્ટેનન્સ કરાવો.

પાણીપુરી એવુ સ્ટ્રીટ ફૂડ છે, જે રંકથી લઈને રાજા સુધી એટલે કે તમામની પહેલી પસંદ છે. આ વાતનો પુરાવો તમને દરેક શહેર, ગલી, મહોલ્લા, ચોક-બજારમાં જોવા મળશે. પાણીપુરી કેટલી ફેમસ છે, તેનો અંદાજો તમે પાણીપુરીની લારી પર ઉમટતી ભીડ પરથી લગાવી શકશો. કેટલીક જગ્યા પર પકોડી ચણા બટાકામાં, તો ક્યાંક રગડામાં આપવામાં આવે છે. પાણીપુરી ખાવામાં જેટલી ચટાકેદાર છે, તેટલો જ મજેદાર તેનો ઈતિહાસ છે.

Related Posts