Bengaluru, Karnataka| ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જે જગ્યા પર ઉતર્યું છે તે બિંદુ ‘શિવ શક્તિ’ પોઇન્ટ તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા PM મોદી આજે વહેલી સવારે સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા ઈસરો કેમ્પસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે, કોઈ પણ સફળતા અંતિમ હોતી નથી, તેથી જ્યાં આપણા ચંદ્રયાન-2ના નિશાન પડ્યા હતા તે જગ્યા આજથી ‘તિરંગા’ પોઈન્ટ તરીકે ઓળખાશે.
The point where the moon lander of Chandrayaan-3 landed will now be known as 'Shiv Shakti'. pic.twitter.com/C4KAxLDk22
— PMO India (@PMOIndia) August 26, 2023
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર જે જગ્યાએ ઉતર્યું તેનું નામ ‘શિવ-શક્તિ પોઈન્ટ’
PM મોદીએ કહ્યું કે, “આ સફળતા માટે હું મિશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મારા પરિવારના સભ્યો, તમે જાણો છો કે ખાસ મિશનને ટચ ડાઉન નામ આપવાની પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર ચંદ્રયાન-3 ઉતર્યુ છે. જ્યાં લેન્ડર લેન્ડ થયું છે તે બિંદુ ‘શિવશક્તિ’ તરીકે ઓળખાશે.
The point on the Moon where Chandrayaan 2 left its imprints will now be called 'Tiranga'. pic.twitter.com/lQENujwiyk
— PMO India (@PMOIndia) August 26, 2023
ચંદ્રયાન 2 એ ચંદ્ર પર પોતાના પદ ચિહ્ન છોડ્યા, હવેથી તે જગ્યાનું નામ ‘તિરંગા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા અને અહીં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતી વખતે PM મોદી પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે તમારી વચ્ચે રહીને ઘણો આનંદ થાય છે. આજે મારું શરીર અને મન ખુશીઓથી છલકાઈ ગયા છે. હું શક્ય તેટલી વહેલી તકે તમને જોવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગુ છું.” PM મોદીએ કહ્યું કે, “જ્યાં ચંદ્રયાન-3નું મૂન લેન્ડર લેન્ડ થયું તે ‘શિવ શક્તિ’ બિંદુ તરીકે ઓળખાશે. તથા જ્યાં ચંદ્રયાન-2એ તેના પદ ચિહ્ન છોડ્યા હતા તેને ‘તિરંગા’ તરીકે ઓળખવામાં આવશે.
Now onwards, every year, 23rd August will be celebrated as the National Space Day. pic.twitter.com/R2sR56bvst
— PMO India (@PMOIndia) August 26, 2023
મિશન ચંદ્રયાન-3 જે દિવસે સફળ થયું તે દિવસ હવેથી દર વર્ષે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવાશે
PM મોદીએ કહ્યું કે, આજથી જે પણ બાળક રાત્રે ચંદ્રને જોશે તે માની જશે કે જે હિંમત અને ભાવના તે બાળકમાં છે જેનાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે. તમે બાળકોમાં આકાંક્ષાઓના બીજ વાવ્યા છે. તેઓ વટવૃક્ષ બનશે અને વિકસિત ભારતનો પાયો બનશે. યુવા પેઢીને સતત પ્રેરણા મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત તે દિવસને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ'(નેશનલ સ્પેસ ડે) તરીકે ઉજવશે. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
વૈજ્ઞાનિકોએ ISRO કમાન્ડ સેન્ટરમાં PM મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડલ બતાવ્યું. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઈસરોમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા. PM મોદીએ કહ્યું કે, “ભારત હવે ચંદ્ર પર છે, જેના માટે હું તમને સલામ કરવા માંગુ છું. તમારી ધીરજ અને શક્તિને સલામ કરવા માંગુ છું. તેથી જ હું અહીં આવવા માટે ખૂબ ઉત્સુક હતો.”
ઈસરોના હેડક્વાર્ટર ખાતે ચંદ્રયાન-3ની ટીમને સંબોધતા PM મોદીએ કહ્યું, “આજે તમારી વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે. આવી ઘટનાઓ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વખત બને છે. અધીરાઈ તેના પર વર્ચસ્વ ધરાવે છે. આ વખતે મારી સાથે પણ એવું જ થયું. હું દક્ષિણ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો, પણ મારું મન તમારી સાથે હતું.”
દેશના વૈજ્ઞાનિકોને સલામ કરું છું: PM મોદી
PM મોદીએ કહ્યું, “હું તમને વહેલી તકે મળવા માંગતો હતો. ભારતની મોટી સમસ્યાઓનો ઉકેલ લાવીશ. 23મી ઓગસ્ટનો તે દિવસ મારી નજર સામે દરેક સેકન્ડે ફરી રહ્યો છે. હું દેશના વૈજ્ઞાનિકોને વધુ સલામ કરું છું, તમારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. મિત્રો, મેં તે ફોટો જોયો જેમાં આપણા મૂન લેન્ડરે અંગદની જેમ ચંદ્ર પર પગ મૂક્યો છે. એક તરફ વિક્રમની શ્રદ્ધા છે અને બીજી બાજુ પ્રજ્ઞાન છે.”
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi says, "The spot on the lunar surface where the Chandrayaan-2 left its footprints will be known as 'Tiranga'. This will be an inspiration for every effort made by India. it will remind us any failure is not final…" pic.twitter.com/Ubk0IkXVXL
— ANI (@ANI) August 26, 2023
ચંદ્ર પર પણ તિરંગો
ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા PM મોદીએ કહ્યું કે, “આજે જ્યારે દરેક ઘર તિરંગો છે, જ્યારે દરેક મન તિરંગો છે અને ચંદ્ર પર પણ તિરંગો છે. તો પછી તિરંગા સાથે જોડાયેલા ચંદ્રયાન-2ના સ્થાનને બીજું શું નામ આપી શકાય. એટલા માટે ચંદ્ર પર તે જગ્યા જ્યાં ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા હતા તે હવે ‘તિરંગા’ પોઇન્ટ કહેવાશે. આ તિરંગા બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી. જો દૃઢ મનોબળ હોય તો ચોક્કસ સફળતા મળે છે.
ભારત ચંદ્રની સપાટીને સ્પર્શનાર વિશ્વનો ચોથો દેશ
ભારત આજે ચંદ્રની સપાટીને સ્પર્શનાર વિશ્વનો ચોથો દેશ છે. આ સફળતા વધુ મોટી બને છે જ્યારે આપણે જોઈએ છીએ કે ભારતે આ સફર ક્યાંથી શરૂ કરી હતી. એક સમય એવો હતો જ્યારે ભારત પાસે યોગ્ય ટેક્નોલોજી પણ ન હતી. આપણે ત્રીજા વિશ્વના દેશ તરીકે ગણાતા હતા. ત્યાંથી નીકળ્યા બાદ આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આજે અવકાશથી લઈને ટેકનોલોજી સુધી ભારતની ગણતરી પ્રથમ હરોળના દેશોમાં થઈ રહી છે. એટલે કે ISRO જેવી સંસ્થાઓને કારણે આપણે ત્રીજી હરોળથી પ્રથમ હરોળમાં પહોંચ્યા છીએ. ISRO આજે મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયું છે.