સુરેન્દ્રનગર: ધાંગધ્રાના કુડા રોડ પર આવેલા બાલા હનુમાનજી મંદિરના પૂજારીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. મંદિરમાં સેવા કરતા અન્ય એક સેવકને પણ માર મારવામાં આવ્યો છે. મંદિરમાં પૂજા કરતા પૂજારીને અજાણ્યા શખ્યોએ આવીને તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી કાર્ય બાદ ફરાર થઇ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ થતા ધ્રાંગધરા DYSP, LCB અને SOG સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી. હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પૂજારીની હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.
https://x.com/NEWSINSIDEMEDIA/status/1707659809485414674?s=20