“વૃક્ષ સાથે વાત” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ટ્રી-વાકાથોન” ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

News Inside/ Bureau: 4th June 2023 યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા સંચાલિત અને 1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરના લાખો લોકો દ્વારા પર્યાવરણ માટે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણને સ્વસ્થ સ્વચ્છ રાખવાના પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 5મી જૂન 2023ના રોજ આપણે […]

અમદાવાદ : 146મી રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની જળયાત્રા, ભગવાન જગન્નાથજી આજથી 15 દિવસ મોસાળમાં રહેશે.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે જળયાત્રા માટેની જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ”જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે. સાબરમતી નદીના સોમનાથ […]

Ahmedabad : અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, વહેલી સવારથીજ કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવા માટે હવામાન વિભાગ દ્વારા હજુ રાહ જોવાઈ રહી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદના વેજલપુર, સરખેજ સહિતના ભાગોમાં સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ માટે આજે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. […]

બાબા બાગેશ્વર પહોંચ્યા વડોદરા, નવલખી મેદાનમાં યોજાશે દિવ્ય દરબાર

News Inside/ 3 June 2023 .. વડોદરા।  સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે સવારે વડોદરા ખાતે પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે. બાબા […]

જામનગરમાં ખેતમજૂરની 3 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ

News Inside/ 3 June 2023 .. જામનગર। જામનગરના જામવંથલીમાં ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે, બાળકીને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. આ સિવાય રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને જરુરી કામગીરી હાથ ધરી છે. બાળકી રમતા-રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની વિગતો મળી છે. તલાટી સહિતના […]

ગુજરાત પર ચક્રાવાતનો ખતરો, અનેક જિલ્લામાં વરસાદની આગાહી

News Inside/ 3 June 2023 .. ગુજરાત। રાજ્યમાં ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ વર્તાય છે. આ વર્ષે ઉનાળાને બદલે જાણે ચોમાસુ જ હોય તેવો માહોલ છે. વરસાદ સતત માવઠા સ્વરૂપે વરસી રહ્યો છે. ગઈકાલે ભાવનગરમાં જેઠ માસમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે બે કલાકની અંદર 2.5 ઈંચ ધોધમાર વરસાદ […]

UHC ની મુલાકાત લેતા 10માંથી 1 અમદાવાદીને હાઈ બ્લડ પ્રેશર છે: આરોગ્ય અધિકારીઓ

News Inside દોઢ વર્ષમાં 10 લાખ આમદાવાદીઓએ 82 શહેરી આરોગ્ય કેન્દ્રો (UHCs) પર કોવિડ-19 રસી મેળવી છે. વિશેષ અભિયાનમાં, આરોગ્ય અધિકારીઓએ નિવારક આરોગ્ય તપાસના ભાગરૂપે આ નાગરિકોના બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલ જેવા મહત્વપૂર્ણ માપન પણ કર્યા હતા. 10 લાખમાંથી, 1 લાખ અથવા દર દસમા નાગરિકને હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર હોવાનું જણાયું હતું, […]

ગુજરાત: મે મહિનામાં સૌથી વધુ શવ અંગ દાન જોવા મળ્યું

News Inside 2022ના છેલ્લા પાંચ મહિનાની સરખામણીએ, 2023ના પ્રથમ પાંચ મહિનામાં અંગ પુનઃપ્રાપ્તિ માટેના કેડેવર દાનમાં 14%નો વધારો જોવા મળ્યો છે, જે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)ના આંકડા દર્શાવે છે. મેએ ગયા વર્ષે જૂન પછી સૌથી વધુ માસિક શવ અંગ દાન નોંધ્યું હતું. સરેરાશ એક દાન ત્રણ અંગ દાનમાં પરિણમે છે. આંકડાઓનું વિશ્લેષણ […]

વાલીઓ તરફથી નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓ શરુ

News Inside/ 2 June 2023 .. અમદાવાદ। અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા પુસ્તક માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં ગાંધી પુલ રોડ સ્થિત સ્ટેશનરી માર્કેટમાં પુસ્તક, નોટબુક, બેગ સહિતની ખરીદી કરવા વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. ઉનાળુ વેકેશન બાદ પાંચ જૂનથી શાળા અને કોલેજમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. રાજ્યની શાળાઓ અને કોલેજમાં […]

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર વિવાદમાં

News Inside/2 June 2023 .. રાજકોટ। બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાતની મુલાકાતે છે. હાલમાં તેઓ રાજકોટમાં દરબાર યોજી રહ્યા છે. ગઈકાલના દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વરે કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્સ ખાતેનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!