માથેરાનના નાગરિકોએ E રિક્ષાની માંગ માટે મોરચો કાઢ્યો |News inside

0 minutes, 3 seconds Read
Spread the love


News Inside, Matheran

માથેરાનના રહેવાસીઓએ મુંબઈની નજીક નેરલ ટેકરીઓ પર સ્થિત પ્રસિદ્ધ પર્યટન સ્થળ માથેરાનમાં ઈ-રિક્ષા સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે તહેસીલ ઓફિસ પર મોરચો કાઢ્યો હતો. શાળાના બાળકોએ પણ આમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો અને રિક્ષા પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, માથેરાનના ડુંગર પર દોડતી ઈ-રિક્ષાઓ છેલ્લા દસ-બાર દિવસથી બંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માથેરાનમાં 5 ડિસેમ્બરથી ત્રણ મહિના માટે અજમાયશ ધોરણે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી, જે 5 માર્ચે સમાપ્ત થઈ ગઈ હતી.

રિક્ષાઓ બંધ થવાના કારણે શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

મુદત પૂરી થયા બાદ રિક્ષા બંધ છે. ઇ-રિક્ષા શહેરીજનો માટે ખૂબ જ સુવિધાજનક બની હતી, તેના બંધ થવાથી વૃદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ ફરીથી ઈ-રિક્ષા શરૂ કરાવવા માટે મોરચો માંડ્યો છે.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!