દર કલાકે 1-2 વિદ્યાર્થીઓની આપઘાતની ઘટના ઘટતી હોવાની વિગતો એક શૈક્ષણિક સંસ્થાના રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે. એટલેકે દેશમાં રોજના 35 વિદ્યાર્થીઓ રિપોર્ટના આધારે જાહેર કરાયેલા તારણો મુજબ વિદ્યાર્થીઓની આપઘાતની ઘટનામાં ગુજરાત દેશાં બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,000 થી વધુ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં અતિ ચિંતાજનક અને ગંભીર વધારો, પાંચ વર્ષમાં 32 ટકાનો વધારોથયો છે.આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે સરકાર પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યા મુજબ, દેશની પ્રિમયમ ઇન્સ્ટિટયૂટોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશની પ્રિમયમ ઇન્સ્ટિટયૂટ IIT / IIM / NITs / AIIMS યુનિવર્સીટીમાં 2018 થી 2023 સુધીમાં 103 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે. IITમાં 35, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 29, NITsમાં 24, એઈમ્સમાં 11 અને IIMમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.
