HAPPY BIRTHDAY અમદાવાદ
વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર શહેર
સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદના સ્થાપના દિવસને 612 વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદની સ્થાપના 613 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર છે.
અમદાવાદ એક એવું શહેર છે કે જેને લોકો દ્વારા વિકસાવવામાં આવ્યું
અમદાવાદ એક એવું શહેર છે કે જેને લોકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ શહેરની એની એક આગવી લાક્ષણિકતા છે. ઇતિહાસના ત્યાગ બલિદાન અને યશોગાથા ની વાર્તા પણ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. સ્વમાન,સાથ, સાહસ અને સહકારએ અમદાવાદના ડીએનએમાં છે. સહ અસ્તિત્વની ભાવના પણ અમદાવાદીઓમાં જોવા મળે છે કંઇક નવું કરતા જોવા મળે એનું નામ અમદાવાદી છે.
અમદાવાદની સ્થાપનાથી લઈ તેને વિકાસ વંતુ બનાવવા પાછળ મોટો ઈતિહાસ રહેલો છે, જ્યારે અમદાવાદને વસાવવામાં આવ્યું ત્યારે તેનો સૌ પ્રથમ પાયો એલિસબ્રિજના કિનારે નાખવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી 1411ના રોજ શહેરની સ્થાપના થઈ હતી. અમદાવાદ શહેરના કિલ્લાની જ્યાંથી દિવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી તેબુરજને દૂરદર્શી સંત માણેકનાથજીની કાયમી સ્મૃતિ તરીકે “માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું હતું.