સુપ્રીમ કોર્ટનો પ્રવાસી મજૂરો માટે મહત્વનો આદેશ : દરેક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે જરૂરી

0 minutes, 0 seconds Read
Spread the love

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રવાસી શ્રમિકોને માત્ર એ આધાર પર રેશન કાર્ડ આપવાથી ઈન્કાર ન કરી શકે તે એન.એફ.એસ.એ અંતર્ગત વસ્તીનો રેશિયો યોગ્ય નથી. જસ્ટિસ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે કહ્યું કે પ્રત્યેક નાગરિકને કલ્યાણકારી યોજનાનો લાભ મળવો જોઈએ.

 

સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી: ખંડપીઠે કહ્યું કે અમે એમ નથી કહી રહ્યાં કે સરકાર પોતાની જવાબદારી ન નિભાવી શકી કે કોઈ બેદરકારી થઈ છે. તેમ છતાં કેટલાક લોકો છુટી જાય છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જોવું જોઈએ કે તેમને રેશન કાર્ડ મળી જાય. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર એ આધાર પર રેશન કાર્ડ આપવાની ના ના કહી શકે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તીનો રેશિયો યોગ્ય રીતે રાખવામાં આવ્યો નથી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!